મોરબી ખાતે પ્રજાપતિ સમાજના ગુરુ વિરદાસબાપુની પુણ્યતિથિ નિમીતે અનેકવિધ કાર્યક્રમો

- text


૩૦ મીએ રક્તદાન કેમ્પ, બટુક ભોજન, મહાઆરતી, પ્રસાદ અને ભવ્ય સંતવાણીનું આયોજન

મોરબી : સમગ્ર વરિયા પ્રજાપતિ સમાજ ના આસ્થાનું કેન્દ્ર એવા મોરબીના વરિયા માતાજી મંદિરના મહંત ગુરૂ શ્રી વિરદાસબાપુની ૧૩ મી પુણ્યતિથી નિમિત્તે આગામી તારીખ ૩૦ ને શનિવારના રોજ શ્રી ઠાકર ભજન મંડળ – મોરબી દ્વારા આ વર્ષે રક્તદાન કેમ્પ,બટુક ભોજન,સંધ્યા મહાઆરતી, તેમજ ભવ્ય સંતવાણીનું આયોજન કરેલ હોય તો દરેક ભાવિક ભક્તોને પધારવા ભાવભર્યુ જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

તા.૩૦ ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર સંચાલિત સંસ્કાર બ્લડબેંક – મોરબીના સહયોગથી ૩ થી ૬ વાગ્યા દરમિયાન રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, સાંજે ૪ થી ૬ બટુકભોજન રાખવામાં આવ્યું છે. જ્યારે સાંજે ૬:૩૦ કલાકે મહાઆરતી અને સાંજે ૭ -૩૦ વાગ્યે પ્રસાદનું આયોજન કરાયું છે જેમાં સમગ્ર વરિયા પ્રજાપતિ સમાજ ઉંબરાદિઠ એક વ્યક્તિને આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text

વધુમાં શ્રી વરિયા માતાજી મંદિર સો-ઓરડી મોરબી -૨ ખાતે રાત્રે ૯.૩૦ કલાકે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં ઈશ્વર ભાલાણી ભજન આરાધક અને લોકસાહિત્યકાર અશ્વિન બરાસરા તેમજ ઠાકર ભજન મંડળ તથા સેવકગણ મોરબી સમગ્ર કાર્યક્રમમાં રંગત જમાવશે.

આ રક્તદાન કેમ્પમાં સ્વૈચ્છાએ રક્તદાન કરનારા દાતાશ્રીઓને જણાવવાનું કે આયોજન વ્યવસ્થાના ભાગરૂપેઆપ અગાઉથી મોબાઈલ સંપર્ક કરી આપના નામની નોંધણી કરાવવી જેના સંપર્ક નંબર 9825403670 રાજુભાઈ બરાસરા, 7817818918 નાથાલાલ ઊભડીયા, 9574465870 શાંતિ ક્લિનિક ખાતે સંપર્ક કરવા જણાવાયુ છે.

- text