ટંકારામાં દીવાલમાં પાણી જવા અંગે બે પરિવાર વચ્ચે ઝઘડો 

- text


ટંકારા : ટંકારા ઉગમણા નાકા વિસ્તારમાં નળનું પાણી દીવાલમાં જવા મામલે પાડોશીને ટકોરતાં બે પરિવાર વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો, આ ઘટનામાં પોલીસે બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારાના ઉગમણા નાકા વિસ્તારમાં રહેતા લલિતાબેન મોહનભાઇ ચાવડાએ તેમના પાડોશી એવા આરોપી મંજુબેન દિગુભાઈ સોલંકી તથા દિગુભાઈ કરશનભાઈ સોલંકી વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેમના પાડોશી મંજુબેને ઘરની દિવાલ પાસે પાણીની નળી ચાલુ કરેલ હોય અને દિવાલમાં પાણી જતુ હોય પાણી બંધ કરવાનું કહેતા જેમ ફાવે તેમ ગાળો બોલી લલિતાબેનને વાળ પકડીને જમીન ઉપર પછાડી દઈ આરોપીઓએ જાનથી મારી નાખવા ધમકી આપી હતી.

સામાપક્ષે મંજુબેન દિગુભાઈ સોલંકીએ પણ આરોપી લલીતાબેન મોહનભાઈ ચાવડા અને મોહનભાઈ માવજીભાઈ ચાવડા નામના પુત્રી અને પિતા વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓ પોતાના પ્લોટમાં વાવેલા શાકભાજીને પાણી પાતા હતા ત્યારે આરોપીઓએ અમારી દીવાલમાં કેમ પાણી છાંટો છો કહી ઝઘડો કરી વાળ પકડી, જમીનમા પછાડી મુંઢ ઈજા કરી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. બનાવ અંગે ટંકારા પોલીસ બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text