મોરબી : ઓલ ઈન્ડિયા સતવારા સમાજ એકતા ગ્રુપ દ્વારા જિલ્લા પ્રમુખની વરણી અને કારોબારી મિટીંગ યોજાઈ

- text


મોરબી :ઓલ ઈન્ડિયા સતવારા સમાજ એકતા ગ્રુપ દ્વારા તારીખ ૨૧ જુન બુધવારનાં રોજ પ્રથમવાર મોરબી જિલ્લામાં જિલ્લા પ્રમુખની નિમણુક અને કારોબારી મિટીંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઓલ ઇન્ડિયા સતવારા સમાજ એકતા ગ્રુપના પ્રમુખ શ્રી અંબારામ ભાઈ અને ઇલેશભાઈએ હાજર રહી મોરબી જિલ્લા પ્રમુખ તરીકે શ્રી ગણેશભાઈ નકુમ, મહામંત્રી શ્રી વિજયભાઈ સતવારા, ઉપપ્રમુખ શ્રી પ્રકાશભાઈ નકુમ, શ્રી દિનેશભાઈ પરમાર, શ્રી રાજેશભાઈ કંઝારિયા, શ્રી હિતેશભાઈ હડીયલ, મંત્રી શ્રી વિજયભાઈ પરમારની નિમણુક કરવામાં આવી હતી. જેમને શુભેચ્છા આપવા માટે મોરબી નગરપાલિકાના પ્રમુખ શ્રી ગીતાબેન કંઝારિયા, કાઉન્સીલર શ્રી ભાવેશભાઈ કંઝારિયા, અરજણભાઇ કંઝારિયા, હરજીવનભાઈ પરમાર, કે કે પરમાર, કાનજીભાઈ નકુમ, વિરજીભાઈ ચાવડા તથા જયસુખભાઇ સોનાગ્રા તેમજ સતવારા સોનાપૂરી ટ્રસ્ટના પ્રમુખ હર્ષદભાઈ કંઝારિયા, મોરબી સતવારા કર્મચારી મંડળના પ્રમુખ શ્રીમહેશભાઈ, સતવારા, સી.એ. એસોસીએશનના પ્રમુખ શ્રી નાનાલાલ હડીયલ, માધાપર ઓ.જી.ના સરપંચ શ્રી ચંદ્રેશભાઇ હડીયલ તથા હળવદથી પધારેલા આમંત્રિત મહેમાનો હાજર રહી બધા યુવા હોદ્દેદારોને પ્રોત્સાહન આપી ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.

- text

આ કાર્યક્રમમાં પધારેલા મોરબી નગરપાલિકાના પ્રમુખ શ્રી ગીતાબેન કંઝારિયાને પ્રમુખ સ્થાન આપેલ હતું અને કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ રાજેશભાઈ કંઝારિયાએ શિવસ્તુતિ કરી ફૂલહાર અને પુષ્પગુંજથી પધારેલ સૌ આગેવાનો તેમજ વડીલોનું સ્વાગત કર્યું હતું. આં ઉપરાંત વિશેષ સન્માન એવું નગરપાલિકાના પ્રમુખ શ્રી ગીતાબેન કંઝારિયાનું સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું અને પછી ઓલ ઇન્ડિયા સતવારા સમાજ એકતા ગ્રુપના પ્રમુખ શ્રી અંબારામભાઈએ ગ્રુપની માહિતી અને નિયમોની માહિતી આપી હોદ્દેદારોની વરણી કરેલ હતી. મોરબી જિલ્લા પ્રમુખ શ્રી ગણેશભાઈ નકુમ સમાજ બધાનો આભાર માની અને સમાજનુ સંગઠન વધુ મજબૂત બને અને સમાજને વધુને વધુ ઉપયોગી થાય જેમ કે સમાજના ઘણાબધા મંડળો છે જ પણ તે ગામ કે તાલુકા સીમિત જ હોય છે પણ મંડળનો હેતુ આખા ઇન્ડિયાના સતવારા સમાજના યુવાનોને જોડી હાલની ટેકનોલોજીનો વધુને વધુ ઉપયોગ કરી સમાજને ઉપયોગી બને એના વિશે વાત કરી હતી. આ કાર્યક્રમમાં હળવદથી પધારેલ ડો. જગજીવનભાઇએ સમાજના સંગઠનની વાત કરી હતી ત્યાર બાદ સમાજ ના ઉત્સાહી નેતા એવા ભાવેશભાઈ કંઝારિયા સમાજ ની એકતા વિશે વાત કરી હતી અને કાર્યક્રમનું સંચાલન શ્રી ધર્મેન્દ્રભાઈ કંઝારિયા એ કર્યું હતું.

 

- text