મોરબી : નેપાળી પરિણીતાના આપઘાત પાછળ તેનો શંકાશીલ સ્વભાવ કારણભુત હોવાનું ખુલ્યું

- text


 

પતિ સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ હોય તેના પર આડાસંબંધની ખોટી શંકા ઉપજતા પત્નીએ પોતાની અને બે માસૂમ પુત્રીઓની જિંદગીનો અંત આણ્યો

મોરબી : મોરબીમા જનેતાએ તેની બે માસૂમ પુત્રીઓને ગળાટૂંપો દઈ પોતે પણ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે. આ બનાવ પાછળ માતાનો શંકાશીલ સ્વભાવ કારણભૂત હોવાનું સામે આવ્યું છે. તેનો પતિ સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ રહેતો હોય તેના ઉપર આડા સંબંધની શંકાએ પોતાની અને બે પુત્રીઓની જિંદગીનો અંત આણ્યો હતો.

- text

મોરબીમાં રવીપાર્કમાં પિતૃઆશિષ નામના મકાનમાં ભાડે રહેતા અને જિમમાં ઇન્સ્ટ્રક્ટર તરીકે કામ કરતા નેપાળી યુવક વિષ્ણુભાઈ બીસીની પત્ની તુલસીબેને બીસીએ પોતાની 5 વર્ષની પુત્રી કિંજના અને 9 માસની પુત્રી પૂજાને ગળેટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી જાતે પણ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબીમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ ઘટના બાદ પોલીસે એફએસએલની મદદ પણ લીધી હતી અને મૃતદેહને પેનલ પીએમ માટે રાજકોટ ખસેડાયા હતા. જો કે પીએમમાં પણ માતાએ બન્ને પુત્રીઓને મોતને ઘાટ ઉતારી આત્મહત્યા કરી હોવાનું જ સામે આવ્યું છે.

બીજી તરફ જનેતાની આ ક્રૂર કરતૂત પાછળ શંકાશીલ સ્વભાવ કારણભૂત હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે પતિ સોશિયલ મીડિયામાં ખૂબ એકટિવ રહેતો હોય જેના ઉપર આડાસંબંધની શંકા કરીને પત્નીએ આ ચકચારી પગલું ભર્યું હતું. હાલ આ અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. પતીની ફરિયાદના આધારે પોલીસે નોંધ દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text