- text
ઝેરી કેમિકલ યુક્ત પાણીના કારણે માછલીઓના ટપોટપ મૃત્યુ થયા હોવાનો ગ્રામજનોનો આરોપ
મોરબી : મોરબીના ઘુંટુ ગામ નજીક નવ નાલા પાસે છેલ્લા ત્રણ દિવસથી લાખો માછલીઓના ટપોટપ મૃત્યુ નિપજતા જીવદયા પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ગ્રામજનોએ કેમિકલ યુક્ત પાણીને કારણે માછલીઓના મૃત્યુ નિપજ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ઘુંટુ નજીક નવ નાલા પાસે છેલ્લા ત્રણેક દિવસથી અચાનક જ માછલીઓના ટપોટપ મૃત્યુ થઈ રહ્યા છે જેમાં આજે પણ આ સિલસિલો ચાલુ રહેતા જીવદયા પ્રેમીઓમાં દેકારો બોલી ગયો છે.
બીજી તરફ ઘુંટુ નજીક માછલીઓના ટપોટપ મૃત્યુ થવાની આ ઘટનામાં ઉપરવાસથી કોઈ ફેકટરીઓમાંથી ઝેરી કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતા નાના મોટા માછલાઓના મૃત્યુ નિપજ્યા હોવાનો આરોપ પણ લગાડવામાં આવ્યો છે.
- text
- text