મોરબી : મોરબી વૈદ સભા તથા બી.એ.એમ.એસ એસોસિએશન દ્વારા આગામી તારીખ 17/11/2023ને શુક્રવારે ધનવન્તરી પૂજન કરવામાં આવશે. આ કાર્યક્રમ ધનવન્તરી ભુવન, 1/3 કાયાજી પ્લોટ, શનાળા રોડ, મોરબી ખાતે યોજાશે. જેમાં રાત્રે 7:30 કલાકે ભોજન તથા 8:30 કલાકે ધનવન્તરી પૂજા કરવામાં આવશે. તેમ પ્રમુખ ડો.બીપીન લહેરૂ તથા ડો.જીતેશ દાઢાણીયાની યાદીમાં જણાવાયું છે.