મોરબી: વૈશાખ વદ અમાસને તારીખ 30 મે ને સોમવારના રોજ મોરબીના રવાપર રોડ પર આવેલા પરસોત્તમ ચોક મંદિર ખાતે શનિદેવ જયંતિ નિમિત્તે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.30 મેના રોજ બપોરે 12 કલાકે ફળ હોમવામાં આવશે. જ્યારે સાંજે 7-15 કલાકે મહા આરતી થશે અને રાત્રે 9:30 કલાકે સુંદરકાંડના પાઠનું આયોજન કરાયું છે.