- text
મોરબી : લોકડાઉનમાં ગરીબોને ભૂખ્યા ન રહેવું પડે તે માટે અનેક સેવાભાવી સંસ્થાઓ આગળ આવી છે. મોરબીમાં SBVP (સમસ્ત બ્રહ્મ વિકાસ પરિષદ) તથા પરશુરામ ધામના સંયુક્ત ઉપક્રમે ગરીબ બ્રાહ્મણ પરિવારોને અનાજ, તેલ, ખાંડ તથા અન્ય જરૂરી રાશનની 200 જેટલી કિટ આપવામાં આવ્યું હતું. આ માટે ભૂપતભાઈ પંડયા, મિલેશભાઈ જોષી, નિરવ ભટ્ટ, હસુભાઈ પંડયા, ડો. બળવંત ભાઈ પંડયા,રવિન્દ્રભાઈ ત્રિવેદી એ જહેમત ઉઠાવી હતી.
- text
- text