ટંકારા : લતીપર ચોકડી પાસે કાર અને રિક્ષાનો અકસ્માત : ૩ ઘાયલ

- text


ટંકારા : લતીપર ગામની ચોકડીથી થોડે દૂર જામનગર રોડ ઉપર રિક્ષાને મારૂતિ કારે ઠોકર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં નાના રામપરના ૩ દલીત યુવાનો ધાયલ થતા ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

- text

આ સમગ્ર બનાવ અંગે સૂત્રોના જણાવ્યા મુજબ જામનગર રોડ પર ટંકારાથી ત્રણેક કિમી દૂર અગિયાર વાગ્યાના સુમારે સ્વિફટ કાર અને ઓટો રિક્ષા સામ સામે આવી જતા અકસ્માત સર્જાયો હતો. જેમા સસરાના ગામ અરબાળસા જઈ રહેલા રામપરના જયેશ અરજણભાઈ રાણવા. ઉ.વ.૨૦, મનસુખ ધનજીભાઈ ઉ.વ.૨૫, અને દિલીપ ધનજીભાઈ રાણવા ઉ.વ. ૨૨ને હાથપગ પર ઈજા થઈ હતી. આ અકસ્માતની જાણ ૧૦૮ એમ્બ્યુલન્સને કરાતા તાત્કાલિક સારવાર માટે ઘાયલોને ટંકારા સિવિલ હોસ્પિટલમાં અને ત્યારબાદ હાલમાં રાજકોટ ખસેડવામાં આવ્યા છે⁠⁠⁠⁠

 

 

- text