મોરબીના લીલાપર ગામે આજે રાત્રે નાટક અને કોમિક ભજવાશે

- text


મોરબી : મોરબી તાલુકાના લીલાપર ગામે આજે તારીખ 23 ઓક્ટોબર ને બુધવારના રોજ નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટક અને કોમિક ભજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે 9-30 કલાકે લીલાપર ગામના ચોકમાં શ્રી ગૌ-સેવા બજરંગ યુવક મંડળ દ્વારા મહાન ઐતિહાસિક નાટક પાવાગઢનો ઈતિહાસ યાને પતૈય રાજાનું પતન અને સાથે પેટ પકડીને હસાવતું હાસ્ય રસિક કોમિક દિ ઉઠાડ્યો દામલે રજૂ કરવામાં આવશે. તો આ નાટક અને કોમિક નિહાળવા શ્રી ગૌ-સેવા બજરંગ યુવક મંડળ તથા લીલાપર સમસ્ત ગામ દ્વારા સૌને જાહેર આમંત્રણ પાઠવાયું છે.

- text