બહેનના ચારિત્ર્ય ઉપર શંકા કરી ભાઈએ અગનપછેડી ઓઢતા મોત

- text


 

વાંકાનેર : વાંકાનેરમાં વિચિત્ર બનાવમાં બહેનના ચારિત્ર્ય ઉપર શંકા કરી આર્થિક સંકડામણ ભોગવતા ભાઈએ કેરોસીન છાંટી કાંડી ચાંપી લેતા રાજકોટ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર ચંદ્રપુર ભાટીયા સોસાયટી શારદા સ્કુલ વાળી શેરીમાં રહેતા સિધ્ધરાજભાઇ શીવરામભાઇ ખાડેખાએ પોતાની બહેનના ચારીત્ર બાબતે શંકા વહેમ રાખી આર્થીક પરીસ્થીતી ખરાબ હોય પોતાની જાતે શરીરે કેરોસીન છાંટી દિવાસળી ચાપી લેતા દાઝી ગયા હતા.

- text

બાદમાં ગંભીર રીતે દાઝી ગયેલા સિધ્ધરાજભાઇને પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ બર્ન્સ વોર્ડઝમા દાખલ કરતા ચાલુ સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા પોલીસે એડી નોંધી તપાસ શરૂ કરી છે.

- text