હળવદ : દિઘડીયા શકતિધામ મંદિર 30 એપ્રિલ સુધી બંધ

- text


કોરોનાના વધતા જતા કહેરને લઈ લેવાયો નિર્ણય

હળવદ: હળવદ તાલુકાના દિઘડીયા ગામે આવેલ સુપ્રસિદ્ધ શ્રી શક્તિ માતાજીનું મંદિર ૩૦ એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. જેની દરેક ભક્તોએ નોંધ લેવા જણાવાયુ છે.

- text

હાલ કોરોનાના પ્રકોપ વચ્ચે મોટાભાગના ધાર્મિક સ્થળોને થોડા દિવસો દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યા છે. જેના કારણે લોકો એકઠા એક જ જગ્યા પર એકઠા ન થાય અને કોરોનાનુ સંક્રમણ ઘટે ત્યારે હળવદ તાલુકાના દિઘડિયા ગામે આવેલ સુપ્રસિદ્ધ શ્રી શક્તિ માતાજીનું મંદિર દર્શનાર્થીઓ માટે ૩૦ એપ્રિલ સુધી સદંતર બંધ રાખવામાં આવ્યું હોવાનું દિઘડિયા ગામના ઝાલા પરિવાર દ્વારા જણાવાયું છે.

- text