માળીયા મિયાણાના મોટા દહીંસરામા અહીં આવવું નહિ કહી બે વ્યક્તિને માર મરાયો

- text


કૂતરાને રોટલા નાખવા ગયેલા આધેડે ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

મોરબી : માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામના રેલવે ફાટક પાસે કૂતરાને રોટલા નાખવા ગયેલા આધેડ તેમજ અન્ય એક વ્યક્તિને ચાર શખ્સોએ અહીં આવવું નહિ કહી લાકડાના ધોકા વડે માર મારતા બનાવ અંગે માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામના જાગનાથ મંદિર પાસે રહેતા ફરિયાદી પ્રવીણભાઈ ઉર્ફે મુન્નાભાઈ બચુભાઇ જોશી ઉ.50 ગત તા.22ના રોજ મોટા દહીંસરા ગામના રેલવે ફાટકે કૂતરાને રોટલા નાખવા ગયા હતા ત્યારે માળીયા મિયાણા ગામે રહેતા આરોપી ફારૂક દિલાવરભાઈ અને અન્ય ત્રણ બીજા શખ્સોએ અહીં શુ કરશ ? અહીં આવવું નહિ કહી લાકડાના ધોકા વડે પ્રવિણભાઇને તેમજ સાહેદ મેરાભાઈને માર મારતા બનાવ અંગે માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text