તા.2જી નવેમ્બરે મોરબીમાં રાજપૂત ક્ષત્રિય સમાજનું સ્નેહમિલન યોજાશે

- text


મોરબી : મોરબી જિલ્લામાં વસવાટ કરતા રાજપૂત ક્ષત્રિય સમાજના પરિવારો માટે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘ અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ ( યુવાપાંખ) દ્વારા આગામી તા.2જી નવેમ્બરને શનિવારના રોજ રેમન પાર્ટી પ્લોટ, ચક્કર રોડ, જિલ્લા સેવાસદન પાછળ મોરબી ખાતે સાંજે 4.30થી 6.15 દરમિયાન સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ સ્નેહ મિલન કાર્યક્રમમા તમામ રાજપૂત ક્ષત્રિય સમાજને સહભાગી બની સમાજની એકતા મજબૂત બનાવવા આહવાન કરાયું છે. વધુ વિગતો માટે જયવંતસિંહ જાડેજા 9727277777, જયશ્રીબા ઝાલા 8849512345, ઓમદેવસિંહ જાડેજા 9825620352, રાજવીરસિંહ સરવૈયા 9825085684 તેમજ ધર્મદીપસિંહ જાડેજા મો.9909215791નો સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

- text