મોરબીના દરબારગઢ ચોકમાં ગુરૂવારથી ચાર દિવસ કાલી પૂજા મહોત્સવ

- text


શ્રી શ્રી સાર્વજનીક મહાકાલી પુજા કમીટી ગ્રુપ દ્વારા સતત ૨૦માં વર્ષે ભવ્ય આયોજન : ચાર દિવસ અનેક ધાર્મીક કાર્યક્રમો યોજાશે

મોરબી : મોરબીમાં દરબારગઢ ચોકમા તા.૩૧ ઓક્ટોબરને ગુરૂવારથી તા.૦૩ નવેમ્બરને રવિવાર ચાર દિવસ સુધી શ્રી શ્રી સાર્વજનીક મહાકાલી પુજા કમીટી ગ્રુપ દ્વારા છેલ્લા ૧૯ વર્ષની જેમ આ વખતે ૨૦માં વર્ષે પણ કાલીપુજા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

પ્રમુખ તપનભાઈ સુભાષભાઈ શાસમલ અને તમામ કમીટી મેમ્બર્સ દ્વારા કાલીપુજા પંડાલનું અનોખુ આયોજન કરવામાં આવ્યું છે. માં કાલીની દક્ષિણેશ્વરી સ્વરૂપની ભવ્ય મૂર્તિ મિનૌતિબેન દિપકભાઈ હાજરા દ્વારા અર્પણ કરવામાં આવેલ છે. તા.૩૧/૧૦/૨૦૨૪ ગુરૂવારના રોજ ડો.જયંતિભાઈ એસ. ભાડેશીયા(M.S અને સંઘપ્રમુખ)ના હસ્તે રાત્રે ૭–૧૫ થી ૮–૧૫ વાગ્યા દરમ્યાન કાલીપુજા પંડાલનું ઉદધાટન રીબીન કટ કરી અને તૈયારબાદ દિપમાલા પ્રજવલીત કરીને પુજાનો ભવ્ય શુભ આરંભ કરવામાં આવશે.

બપોરે આરતીનો સમય રોજ બપોરે ૧૨-૩૦ થી ૧-૩૦ વાગ્યા સુધી રહેશે. રાત્રે મહા આરતી નો સમય રોજ રાત્રે ૯-૩૦ થી ૧૦–૩૦ વાગ્યા સુધી રહેશે. રાત્રે મહા આરતી પછી ખીચડી મહા પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. વિર્સજન યાત્રા તા.૦૩/૧૧/૨૦૨૪ રવિવારસાંજે ૫ વાગ્યે દરબાર ગઢથી શરૂ થશે.

- text

કાલીપુજા બંગાલમાં જ નહી પરંતુ સંપુર્ણ દેશમાં પણ ધામ ઘુમથી ઉજવવામાં આવે છે ચાર દિવસ ચાલતા આ ઉત્સવમાં પુજા, સ્થાપના, ચંડી પાઠ, પુષ્પાજંલી, મહાઆરતી, ખીચડી મહાપ્રસાદ, મયાર ચંડીથ, ઢોલ, મહાઆરતી, વરણ,સિંધુરખેલા અને વિર્સજન જેવા અનેક કાર્યક્રમો પણ ઉજવવામાં આવે છે. અને તા.૦૩/૧૧/૨૦૨૪ના દિવસે કાલીપુજાનું ભવ્ય વિર્સજન કરવામાં આવશે. મા કાલીપુજાને લગતી કોઇપણ માહિતી જાણકારી કે પ્રશ્ન માટે મોહિતભાઈ(કાર્તિક) રાવલનો મો.નં.7990215099 ઉપર સંપર્ક કરી શકો છો. તેમ મોહિતભાઈ રાવલની યાદીમાં જણાવાયુ છે.

- text