પૂજ્ય શ્રી ભગતબાપાની 56મી પુણ્યતિથિ નિમિત્તે ખરેડા ખાતે નાટક અને કોમિકનું આયોજન 

- text


મોરબી : નિરાધાર ગૌ માતાના લાભાર્થે તેમજ પૂજ્ય શ્રી ભગતબાપાની 56મી પુણ્યતિથિ નિમિત્તે શ્રી નકલંક ગૌ સેવા નાટક મંડળ દ્વારા તારીખ 29-10-2024 ને મંગળવારના રોજ રાત્રે 9 કલાકે ખરેડા ગામે બસ સ્ટેશન સામે, મેઈન ગેટની બાજુમાં મહાન ઐતિહાસિક નાટક સતી રાણકદેવી (રાં’ખેંગાર) અને કોમિક કાનો દલાલ ભજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ નાટક અને કોમિક નિહાળવા સમસ્ત ખરેડા ગામને આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text