- text
મોરબી : મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના સભ્ય આરતીબેન ચાવડાના પુત્ર અંશનો આજે જન્મદિવસ હતો. ત્યારે જન્મદિવસ નિમિત્તે મોરબીના સામાકાંઠા મયુરપુલ નીચે આવેલ ઝૂંપડપટ્ટી તેમજ મોરબીના નવલખી રોડ પર પરશુરામધામ નજીક ઝૂંપડપટ્ટી વિસ્તારના નાના બાળકોને કોન વિતરણ કરવામાં આવ્યા હતા. આ તકે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ, ઉષાબેન ભાનુશાળી, આરતીબેન ચાવડા, જાગૃતિબેન પરમાર, જીગ્નાબેન ગૌસ્વામી, રેખાબેન કૈલા, નિર્માલબેન હડીયલ સહિતની બહેનો જોડાયા હતા.
- text