શનાળામાં શક્તિ માતાના જન્મોત્સવ નિમિત્તે તલવારબાજી ટીમ દ્વારા 949 દીવડાની મહાઆરતી કરાશે

- text


મોરબી : શક્ત શનાળામાં બિરાજમાન શક્તિ માતાજીના 949માં જન્મોત્સવ નિમિત્તે તલવારબાજી ટીમ દ્વારા શનાળા ખાતે 949 દીવડાની મહાઆરતી કરવામાં આવશે. આગામી તારીખ 12 નવેમ્બરે કારતક સુદ-11ના દિવસે શક્તિ માતાજીનો 949મો જન્મોત્સવ હોય આ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ તલવારબાજી ટીમ શક્ત શનાળા દ્વારા શક્તિધામ ખાતે સાંજે 7 કલાકે 949 દીવડાની મહાઆરતી કરવામાં આવશે. આ મહાઆરતીનો લાભ લેવા ભક્તજનોને તલવારબાજી ટીમ શક્ત શનાળા દ્વારા નિમંત્રણ પાઠવાયું છે.

- text

- text