ખેડૂતોને નુકસાનનું વળતર મેળવવા અરજીનો સમયગાળો વધારવા મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની માગ

- text


મોરબી : રાજ્યમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં થયેલા ભારે વરસાદના કારણે થયેલા પાક નુકસાન અંગે રાજ્ય સરકાર દ્વારા ખાસ કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જેના માટે ખેડૂતોએ નુકસાનીનું વળતર મેળવવા ઓનલાઈન અરજી કરવાની છે. ત્યારે ઓનલાઈન અરજીની સમય મર્યાદામાં વધારો કરવા મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે.

કિશોરભાઈ ચિખલીયાએ જણાવ્યું છે કે, નુકસાનીનું વળતર મેળવવા ખેડૂતોએ ફોર્મ ભરવાનો સમયગાળો 25 ઓક્ટોબર થી 31 ઓક્ટોબર સુધીનો આપવામાં આવ્યો છે. પરંતુ હાલ દિવાળીનો તહેવાર હોય, સરકારી સાઈટોમાં વધુ લોડ પડવાના કારણે ફોર્મ ભરવામાં સર્વરમાં તકલીફો જણાતી હોવાથી આટલા ટૂંકા ગાળામાં ખેડૂતોના ફોર્મ ભરવાનું શક્ય નથી. તેથી ઓનલાઈન ફોર્મ ભરવાની સમય મર્યાદા 15 દિવસ લંબાવી આપવા રજૂઆત કરવામાં આવી છે.

- text

- text