વાંકાનેરના દાણાપીઠ અને મિલ પ્લોટમાં ગેરકાયદે ખડકાયેલા મકાનોનું ડીમોલેશન 

- text


વાંકાનેર : વાંકાનેર નગરપાલિકા દ્વારા દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં પાલિકા દ્વારા મિલ પ્લોટમાં મચ્છી બજાર રોડ પર બે મકાનોને તેમજ પંચાસર રોડ પર એક મકાન તોડી પાડવામાં આવ્યું હતું તેમજ અનેક દુકાનોને સિલ મારવામાં આવ્યા હતા.

શહેરમાં અન અધિકૃત જગ્યા ઓ પર દબાણ કર્તાઓનાં દબાણ હટાવવામાં આવતા ટોળા ઉમટ્યા હતાં. નોટીસ આપ્યા બાદ પણ દબાણ ન હટાવતા નગર પાલિકાનાં ચીફ ઓફિસર ગિરીશ સરૈયા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- text

છેવાડાનાં મિલ પ્લોટ, પંચાસર માર્ગ પરથી પાકા દબાણો તોડી પાડવામાં આવ્યા હતાં.મકાનો, દુકાનો, ઓટલા સહીતનાં પાકા દબાણો પોલીસ કાફલાને સાથે રાખી તોડી પાડવામાં આવ્યા હતાં. આગળ પણ નગર પાલિકાની હદનાં તમામ દબાણો દૂર કરવાની કાર્યવાહી યથાવત રાખવામાં આવશે તેમ ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું.

- text