4 નવેમ્બરે મોરબીના જલારામ મંદિરે વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

- text


વિનોદભાઈ રામજીભાઈ બારા પરિવારના સહયોગથી કેમ્પનું આયોજન

મોરબી : મોરબીના જલારામ મંદિરે આગામી 4 નવેમ્બરના રોજ શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન-મોરબીના ટ્રસ્ટી, શ્રી જલારામ જન્મોત્સવ સમિતિ-મોરબીના પ્રમુખ વિનોદભાઈ રામજીભાઈ બારા પરિવારના સહયોગથી વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

જાણીતી આંખની હોસ્પિટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહિનાની 4 તારીખે મોરબી શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે. જે અંતર્ગત 4 નવેમ્બર ને સોમવારના રોજ સવારે 9 થી 12 કલાક દરમિયાન મોરબીના શ્રી લોહાણા વિદ્યાર્થી ભવનના ટ્રસ્ટી, શ્રી જલારામ જન્મોત્સવ સમિતિના વર્ષ 2024 ના પ્રમુખ શ્રી વિનોદભાઈ રામજીભાઈ બારા પરિવારના સહયોગથી કેમ્પ યોજાશે. જેમા શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલના ડો. બળવંતભાઈ, ડો. સુદામા, હેમુભાઈ પરમાર, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવશે તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામૂલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દર મહિનાની 4 તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમાં તપાસ માટે દર્દીનું આધાર કાર્ડ સાથે રાખવું અનિવાર્ય છે. વધુ માહિતી માટે ગીરીશભાઈ ઘેલાણી- 9825082468, નિર્મિતભાઈ કક્કડ- 9998880588, હરીશભાઈ રાજા-9879218415, અનિલભાઈ સોમૈયા-8511060066 પર સંપર્ક કરવા જણાવાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત 37 માસ દરમિયાન યોજાયેલા કેમ્પમાં કુલ 11060 લોકોએ લાભ લીધો હતો તેમજ 4951 લોકોના વિનામૂલ્યે નેત્રમણીના સફળ ઓપરેશન થયા હતા.

- text