મોરબીમાં કાલે ગુરૂવારે હિન્દુત્વ વિષય ઉપર અધ્યયન મંડળની કાર્યશાળા  

મોરબી : મોરબીના અધ્યયન મંડળ દ્વારા હિન્દુ સંવત્સર મહિનાના ચોથા ગુરુવારે સમાજ જીવનના સ્પર્શતા જુદા જુદા વિષયોને લઈને એક સેમિનારમાં થાય છે. આ વખતે ૨૮મી કાર્યશાળા (સેમિનાર) તા. ૨૪ને ગુરુવારે રાત્રે ૯:૧૫ વાગ્યે ગાયત્રી ચેતના કેન્દ્ર, નવા હાઉસીંગ બોર્ડ, શનિદેવના મંદિર પાછળ યોજાશે. વક્તા મિલનભાઈ પૈંડા હિન્દુત્વ વિષય પર વાતચીત કરશે. આ સેમિનારમાં અધ્યયનશીલ લોકો દ્વારા અત્યંત રસપ્રદ ચર્ચાઓ કરવામાં આવે છે. સમાજના લોકોને આ કાર્યક્રમમાં જોડાવવા અધ્યયન મંડળના સંયોજક, ડો જયેશભાઈ પનારા તથા સહસંયોજકો વિજયભાઈ રાવલ અને કમલેશભાઈ અંબાસણાએ નિમંત્રણ પાઠવ્યુ છે.