મોરબીના ઝીંઝુડામાં 29 ઓક્ટોબરે હઝરત કોઠાવાલા પીરનો ઉર્ષ ઉજવાશે

- text


મોરબી : મોરબીના ઝીંઝુડા ખાતે આગામી તારીખ 29 ઓક્ટોબરના રોજ હઝરત કોઠાવાલા પીરનો ઉર્ષ મુબારક ઉજવાશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હઝરત બહાઉદ્દીન કોઠાવાલા પીરનો ઉર્ષ શાનો સૌકતથી મનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 29 ઓક્ટોબર ને મંગળવારના રોજ અસર નમાઝ બાદ ચાદર શરીફ, મગરીબ નમાઝ બાદ ન્યાજ શરીફ અને ઈશા નમાઝ બાદ મિલાદ શરીફનું આયોજન કરાયું છે. જેમાં સર્વે હિન્દુ-મુસ્લિમ સમાજના લોકોને જોડાવા આમંત્રણ પાઠવાયું છે.

- text

- text