મોરબીના તમામ તાલુકાઓમાં 24 તથા 26 ઓક્ટોબરે આયુર્વેદ- હોમિયોપેથી નિદાન કેમ્પ યોજાશે

- text


મોરબી : મોરબી જિલ્લામાં જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા ‘9માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ’ની ઉજવણી કરવામાં આવનાર છે. આ ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોએ આયુર્વેદ – હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આગામી 24 ઓક્ટોબરના રોજ સવારે 9 થી 12:30 દરમિયાન હળવદ તાલુકામાં સરકારી દવાખાનું – ચરાડવા, વાંકાનેર તાલુકામાં સેવા સહકારી મંડળી – વાલાસણ, માળિયા તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – સરવડ તથા 26 ઓક્ટોબરના રોજ મોરબી તાલુકામાં નરસંગ ટેકરી મંદિર, રવાપર રોડ – મોરબી ખાતે આયુર્વેદ – હોમીઓપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

આ કેમ્પમાં નિદાન સારવાર, દિનચર્યા, ઋતુચર્યા, વિરુદ્ધઆહાર, આપણી આસપાસ ઉગતી વનસ્પતિઓ અને યોગનું મહત્વ તથા યોગ અભ્યાસ વગેરે અલગ અલગ વિષયોની સમજણ આપતા ચાટ પ્રદર્શન સહિતની પ્રવૃત્તિઓ કરવામાં આવશે. આ કેમ્પનો વધુને વધુ લાભ લેવા મોરબી જિલ્લાવાસીઓને જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય પ્રવીણ વડાવિયા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

- text