મોરબીની વિશ્વકર્મા સોસાયટીમાં 24 ઓક્ટોબરે નિઃશુલ્ક સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવાશે

- text


સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ રાજકોટના સહયોગથી આયોજન

મોરબી : પુષ્પ નક્ષત્રમાં દર વખતની જેમ આ વખતે પણ તારીખ 24-10-2024 ને ગુરુવારના રોજ સવારે 8:30 થી 12:30 કલાક દરમ્યાન વિશ્વકર્મા સોસાયટી, નીલકંઠ સ્કૂલ સામે, હનુમાનજી મંદિર, રવાપર રોડ, મોરબી ખાતે સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ રાજકોટના સહયોગથી નિ:શુલ્ક સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ દરમ્યાન 0 થી 15 વર્ષ સુધીના બાળકોને સુવર્ણપ્રાશનના ટીપાં ફ્રીમાં પીવડાવામાં આવશે. મોરબીની તમામ સોસાયટીનાં બાળકોને આ લાભ લેવા માટે વિનંતી કરવામાં આવી છે. તેમજ આ કેમ્પમાં શ્રી ઉમિયા સિનિયર સિટીઝન કલબ મોરબીનાં સભ્યો સેવા આપશે. વધુ માહિતી માટે મોબાઈલ નંબર 94272 13999 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text

- text