મોરબી : વરમોરા ગ્રેનીટો ખાતે સ્વ. જીવરાજભાઈની પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

- text


440 રક્તદાતાઓએ રક્તદાન કરીને સ્વ. જીવરાજભાઈ વરમોરાને શ્રદ્ધાંજલિ પાઠવી

મોરબી : સ્વ. જીવરાજભાઈ શીવાભાઈ વરમોરાની 15મી પુણ્યતિથિ નિમિત્તે વરમોરા પરિવાર દ્વારા મોરબીના રાતાવિરડા ખાતે આવેલાવરમોરા ગ્રેનીટો પ્રા. લિ. યુનિટ 3 ખાતે સંસ્કાર બ્લડ બેન્ક મોરબી, અને સિવિલ બ્લડ બેન્ક મોરબી અને રાજકોટના સહકારથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બ્લડ ડોનેશન કેમ્પમાં 440 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. રક્તદાન કેમ્પને સફળ બનાવવામાં પ્રમોદભાઈ વરમોરા, મનીષભાઈ વરમોરા, અશોકભાઈ ભૂત અને ભાવેશભાઈ સરાસવડીયાએ જહેમત ઉઠાવી હતી. દરેક રક્તદાતાઓ માટે ટી-શર્ટ અને ગિફ્ટ તેમજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. સંસ્કાર બ્લડ બેન્કના પ્રેરક પ્રેમસ્વામી અને રમેશભાઈ માકાસણાએ વરમોરા પરિવાર, વરમોરા ગ્રુપ અને રક્તદાતાઓનો આભાર માન્યો હતો.

- text

- text