મોરબીના ગુજરાત હા. બોર્ડ ખાતે સૂર્યમુખી હનુમાનજીના મંદિરનું ખાતમુહૂર્ત કરાયું

- text


ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને દામજી ભગતના હસ્તે કરાયું ખાતમુહૂર્ત

મોરબી : મોરબીમાં આજ રોજ તારીખ 19-10-2024 ને શનિવારના રોજ મોરબીના ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે શ્રી સુર્યમુખી હનુમાનજી મહારાજની અસીમ કૃપાથી દાદાના શિખરબદ્ધ મંદિરનું ખાત મુહુર્ત કરવામાં આવ્યું છે. આ ખાત મુહૂર્ત શાસ્ત્રોકત વિધિથી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તથા નકલંક ધામ બગથળાના મહંત દામજી ભગતના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા.

મહત્વનું છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે સૂર્યમુખી હનુમાનજી દાદાના પથ્થરના શિખરબદ્ધ નૂતન મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ મંદિરનો ખાતમુહૂર્ત સમારોહ આજે યોજાયો હતો.

- text

- text