ટંકારામાં દયાનંદ સરસ્વતી મેડિકલ સાધન સહાય કેન્દ્રનું લોકાર્પણ

- text


ટંકારા : મોરબી જિલ્લાના ટંકારા ખાતે તાજેતરમાં સેવા ભારતી- ગુજરાત સંલગ્ન ડો. હેડગેવાર સ્મારક સમિતિ- મોરબી શાખા દ્વારા દયાનંદ સરસ્વતી મેડિકલ સાધન સહાય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ટંકારાના મોરબી- રાજકોટ હાઈવે પર આવેલા ઓમ કોમ્પલેક્ષ ખાતે દયાનંદ સરસ્વતી મેડિકલ સાધન સહાય કેન્દ્રની શરૂઆત કરાઈ છે.

- text

ટંકારા તાલુકાના જરૂરિયાત મંદ લોકોને આ નિ:શુલ્ક મેડિકલ સહાય કેન્દ્રનો બહોળા પ્રમાણમાં લાભ મળશે. આ કેન્દ્ર પર ઓર્થો પલંગ, વ્હીલ ચેર, કોમ્બો ચેર, વોકર, વોટર બેડ, એર બેડ, ચાર પાયા વાળી લાકડી, યુરીન પોટ, બેડ પાન (ફુલ પોટ) સહિતના સાધનો મળી રહેશે. જરૂરિયાત મંદ લોકોએ ભુપતભાઈ કુકડિયા મો. નં. 99790 00334 તથા દીપકભાઈ વાઢેર મો.નં. 99790 74473 પર સંપર્ક કરવો. આ મેડિકલ સહાય કેન્દ્રની સફળતા માટે પ્રાંત સહ સેવા પ્રમુખ હસમુખભાઈ પટેલ, લાલજીભાઈ કુનપરા, સતીષભાઈ પટેલ, જીતુભાઈ લીખિયા તથા પરેશભાઈ ઢેઢીએ જહેમત ઉઠાવી હતી.

- text