ટંકારા નજીક ત્રણ સ્થળોએ 19મીએ શહીદના પરિવાર માટે અનુદાન એકત્ર કરાશે

- text


લજાઈ ચોકડી, ટંકારા ચોકડી, મીતાણા ચોકડીએ સાંજે 4 થી 6 દરમિયાન અનુદાન સ્વીકારાશે

ટંકારા : રાજકોટ જિલ્લાના જામકંડોણાના આચવડ ગામના એક ખેડૂત પરીવાર યુવાન વીર શહીદ વિશ્વરાજસિંહ ગોહિલ મા ભારતીની રક્ષા માટે અગ્નિ વીર જોડાયા હતા. નાની ઉંમરે તેઓ શહીદ થયા છે. ત્યારે તેમના પરિવારને આર્થિક મદદ કરવા માટે લજાઈ ચોકડી, ટંકારા ચોકડી, મીતાણા ચોકડીએ તા. 19ના સાંજે સમય 4 થી 6 કલાકે અનુદાન એકત્ર કરવામાં આવશે.

- text

લાયન્સ ક્લબ ટંકારા સીટી, ગ્રાહક સુરક્ષા મંડળ ટંકારા, દયાનંદ માજી સૈનિક મંડળ ટંકારા, રઘુવંશી યુવક મંડળ ટંકારા, નાસા સ્કૂલ ટંકારા, ભારતીય કિસાન સંઘ મોરબી જિલ્લા, રાજપૂત કરણી સેના ટંકારા, શ્રી સદગુરુ સેવા મિત્ર મંડળ ટંકારા, સરપંચ એસો. ટંકારા તાલુકા, સરદાર ધામ ટંકારા સહિતની સંસ્થાઓ આ સેવાકાર્ય કરવાના છે. સેવાભાવી લોકો ચોકડી પર જોળી લઈ ઊભા હશે. જેમાં લોકો સ્વેચ્છાએ અનુદાન આપી શકશે.

વધુ ધનરાશિ આપવાં ગૌતમભાઈ વામજા (લજાઈ) મો.નં. 9687270665, ચેતનભાઈ પટેલ રિ આર્મી (ટંકારા) મો.નં. 9913868413નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- text