વેરાવળ-રાજકોટ પેસેન્જર ટ્રેનના સમયમાં કરાયો ફેરફાર

- text


22 ઓકટોબર સુધી વેરાવળ સ્ટેશનથી 1 કલાક 15 મિનિટ મોડી ઉપડશે 

રાજકોટ : રાજકોટ ડિવિઝનના રાજકોટ-ભક્તિનગર સેક્શનમાં એન્જિનિયરિંગના કામ માટે 15-10-2024 થી 22-10-2024 દરમિયાન લેવામાં આવતા બ્લોકને લીધે વેરાવળ સ્ટેશનથી ઉપડનારી ટ્રેન નંબર 09514 વેરાવળ-રાજકોટ પેસેન્જર ટ્રેનનું સમયપત્રક રિશિડ્યુલ કરવામાં આવ્યું છે.

- text

આ ટ્રેન વેરાવળ સ્ટેશનથી તેના નિર્ધારિત સમય બપોરે 5 કલાકના બદલે 1 કલાક 15 મિનિટ મોડી એટલે કે 6:15 કલાકે ઉપડશે. બ્લોકને કારણે આ ટ્રેન 15-10-2024 થી 22-10-2024 સુધી રિશિડ્યુલ સમય મુજબ ચાલશે. જેના કારણે રૂટ પરના અન્ય સ્ટેશનો પર ટ્રેનના સમયમાં ફેરફાર થશે. વિગતવાર માહિતી માટે મુસાફરોએ વેબસાઇટ www.enquiry.indianrail.gov.inની મુલાકાત લેવી જેથી સમસ્યા ન થાય.

- text