મોરબીના સ્વામીનારાયણ પાર્ક ખાતે 17 ઓક્ટોબરે તોરણીયાનું રામામંડળ રમાડાશે

- text


મોરબી : મોરબીની વાવડી ચોકડીની બાજુમાં આવેલા સ્વામીનારાયણ પાર્ક ખાતે આગામી તારીખ 17 ઓક્ટોબર ને ગુરુવારે શરદપૂનમ નિમિત્તે નકલંક નેજાધારી તોરણીયાનું પ્રખ્યાત રામામંડળ રમાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. સનાભાઈ ઘેલાભાઈ ટોયટા અને વિજયભાઈ કુકાભાઈ ટોયટા પરિવાર દ્વારા આ રામામંડળનું આયોજન કરાયું છે. જેમાં કલાકાર ભુટો ભરવાડ, મિલન કાકડીયા અને કોમેડી કિંગ ભોળાભાઈ (ગગુડીયો) સહિતના કલાકારો નકલંક સાઉન્ડના સથવારે રામદેવપીર મહારાજનું જીવન ચરિત્ર ભજવશે. તો આ રામામંડળ નિહાળવા સૌને આમંત્રણ પાઠવાયું છે.

- text

- text