મોરબીમાં 17 ઓક્ટોબરે સિદ્ધપુરીયા બારશાખ રજપૂત સમાજ દ્વારા શરદપૂનમ ઉત્સવનું આયોજન

- text


મોરબી : સિદ્ધપુરીયા બારશાખ રજપૂત સમાજ મોરબીના ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે તારીખ 17 ઓક્ટોબરના રોજ શરદ પૂનમ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 17 ઓક્ટોબર ને ગુરુવારે રાત્રે 8-30 કલાકે મોરબીના વાવડી રોડ પર શુક્રવારી ભરાય છે તે ગોકુળ ફાર્મ હાઉસ ખાતે શરદ પૂનમ ઉત્સવ નિમિત્તે રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ફક્ત સિદ્ધપુરીયા બારશાખ રજપૂત સમાજના લોકો માટે સિમિત છે. જે લોકો ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને આવશે તેઓ માટે સરપ્રાઈઝ ગિફ્ટ પણ રાખવામાં આવી છે. તો જ્ઞાતિના ભાઈઓ તથા બહેનોને હાર્દિક આમંત્રણ પાઠવાયું છે.

- text