તંત્રની બેદરકારી : ઉમિયા સર્કલ પાસે કેનાલમાંથી કચરો કાઢી જાહેર રોડ ઉપર નાખ્યો

- text


મોરબી : મોરબીમાં તંત્રની ફરી એકવાર બેદરકારી સામે આવી છે. જેમાં શહેરમાં કેનાલમાંથી કચરો કાઢી રોડ પર ખુલ્લામાં નાખી દેવામાં આવ્યો છે. આમ શહેરમાં પ્રવેશતાની સાથે જ જાહેરમાં રસ્તા પર કચરો ફેંકતા ગંદકીમાં વધારો થયો છે.

- text

મોરબીમાં તંત્ર દ્વારા ઉમિયા સર્કલ પાસે કેનાલની સાફસફાઈ કરવામાં આવી હતી. આ દરમ્યાન આ કચરો જાહેરમાં ઉમિયા સર્કલ રોડ પર નાખવામાં આવ્યો હતો. આમ શહેરમાં પ્રવેશવાના રસ્તા પર કચરાના ગંજ ખડકાતા જાહેર રસ્તા પર અત્યંત દુર્ગંધના કારણે લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ રસ્તા પર ગંદકીમાં પણ વધારો થયો છે.

- text