રક્તદાન કરીને પૌત્રના જન્મદિવસની ઉજવણી કરતા શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ

- text


મોરબી : મોરબી જિ.પ્રા.શિ.સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ વી. સરડવાએ પોતાના પૌત્ર મંત્રના જન્મ દિવસ નિમિતે સિવિલ હોસ્પિટલમાં જાતે જઈને 48મી વખત રક્તદાન કરી ધન્યતા અનુભવી હતી.

તેઓએ જણાવ્યું કે હું નિયમિત રક્તદાન કરું છું. મને કોઈ પણ પ્રકારની શારીરિક તકલીફ થતી નથી. જેથી સમાજમાં રહેતા અમૂલ્ય લોકોની મહામુલી જિંદગી બચાવવા દરેક નવયુવાનો એ રક્તદાન કરવા આગળ આવવું જોઈએ અને રક્તદાન એ જ મહાદાન એ યુક્તિને સાર્થક કરવી જોઈએ. મારો એ સંકલ્પ છે કે એકાવન વખત રક્તદાન હું કરીશ.

- text

- text