- text
મોરબી : ગોપાણી પરિવાર દ્વારા સ્વ. અજયભાઈ નાનજીભાઈ ગોપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે ગોકુલ પેલેસ, અવની ચોકડી, મોરબી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 73 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.
- text
આ કેમ્પને સફળ બનાવવામાં નાનજીભાઈ ગોપાણી, કાનજીભાઈ ગોપાણી, ધરમભાઈ ગોપાણી , મેહુલભાઈ ગોપાણી અને પ્રશાંતભાઈ ભોરણિયાએ સહકાર આપ્યો હતો. ગોપાણી પરિવારે રક્તદાન કેમ્પનું આયોજન કરી સ્વ. અજયભાઈ ને સાચી શ્રદ્ધાંજલિ આપી હતી અને સમાજને પ્રેરણા આપી હતી. સંસ્કાર બ્લડ બેન્કના પ્રેરક પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ રકતદાતા, ગોપાણી પરિવાર અને આયોજકોનો આભાર માન્યો હતો.
- text