હળવદના વેગડવાવ ગામે 15 ઓક્ટોબરે નવચંડી યજ્ઞ તથા આઈ આરાધનાનું ભવ્ય આયોજન

- text


હળવદ : હળવદ તાલુકાના વેગડવાવ ગામે તારીખ 15-10-2024 ને મંગળવારના રોજ નવચંડી યજ્ઞ તથા આઈ આરાધનાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં તારીખ 14-10-2024 ને સોમવારના રોજ રાત્રે 10 કલાકે આઈ આરાધના કરવામાં આવશે. જેમાં આઈ આરાધકો જીતુ “દાદ” ગઢવી, પરેશદાન ગઢવી, અને નિકુલદાન ગઢવી દ્વારા માની આરાધના કરવામાં આવશે. તેમજ તારીખ 15 ઓક્ટોબરના રોજ સવારે 9 કલાકે યજ્ઞ પ્રારંભ થશે. સાંજે 5:15 કલાકે શ્રીફળ હોમ તથા સાંજે 7:15 કલાકે મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. યજ્ઞના આચાર્ય પદે ગુણવંતરાય જે રાવલ (જય ભવાની) ઉપસ્થિત રહેશે. જ્યારે આ પ્રસંગે મોગલધામ કબરાઉના ચારણઋષિ આશીર્વાદ પાઠવવા હાજરી આપશે. આ યજ્ઞનો લાભ લેવા પોપટદાન જબરદાન ગઢવી અને જીતુદાન જબરદાન ગઢવી દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text