વિરાટનગર(રં) ગામે વડસોલા પરિવાર દ્વારા પંચકુંડી યજ્ઞ અને તેજસ્વી તારલાનો સન્માન સમારોહ યોજાયો

- text


મોરબી : મોરબીમાં અસત્ય પર સત્યનો વિજય, અધર્મ પર ધર્મનો વિજય એવા દશેરાના પર્વ નિમિત્તે દર વર્ષે વિરાટનગર(રંગપર) ગામે તેમજ ટીંબડી, ઘૂંટું, અણિયારી, દેરાળા ગામે વસતા સમસ્ત વડસોલા પરિવાર દ્વારા પંચકુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિરાટનગર ગામે બિરાજમાન જગત જનની બુટ ભવાની માતાજીના મંદિર ખાતે શાસ્ત્રી યતિનભાઈ દવેએ શાસ્ત્રોતક વિધિથી યજ્ઞ કર્યો હતો. ત્યારબાદ તેજસ્વી તારલાનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 10થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. જેમાં ધો.10માં વડસોલા સ્મૃતિ અતુલભાઈ, ssc cbsc પ્રાચી પ્રકાશભાઈ વડસોલા, HSC કોમર્સ માનસી મુકેશભાઈ, દેવ નારણભાઈ, HSC સાયન્સમાં દ્રષ્ટિ કલ્પેશભાઈ, B.COMમાં નમન જગદીશભાઈ, B.A.M. PShychology કોલેજ ફર્સ્ટ MBBSમાં જય જશવંતભાઈ વડસોલા, સંગીત ક્ષેત્રમાં મલ્હાર ચિરાગ અને નેચરોપેથીમાં અલ્પાબેન ચિરાગભાઈ વડસોલા, તથા નેહા સુરેશભાઈ, કબડ્ડીમાં સર્વોત્તમ દેખાવ કરવા બદલ જાનકીબેન કિશનભાઈ, BHMSમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર વગેરેનું માતાજીના ભુવા બાબુભાઈ વડસોલાના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.

સમસ્ત વડસોલા પરિવારના મહાપ્રસાદના દાતા રમેશભાઈ વડસોલા ટીંબડીવાળા અને આઈસ્ક્રીમ અને સોડાના દાતા અમુભાઈ વડસોલાનું સાલ ઓઢીને સન્માન કરાયું હતું. આ આયોજનમાં દિનેશભાઈ વડસોલા અને હસમુખભાઈ વડસોલા બંનેએ પ્રેરણાત્મક ઉદબોધન દ્વારા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ વડસોલા પરિવારની યુવા ટીમે સમગ્ર કાર્યક્રમના સુંદર આયોજન અને વ્યવસ્થાપન સભાળ્યું હતું.

- text

- text