મોરબીમાં લાયન્સ કલબ અને આયુષ હોસ્પિટલ દ્વારા ૧૭મીએ ફ્રી નિદાન કેમ્પ

- text


મોરબી : લાયન્સ કલબ દ્વારા તા.૧૭ને ગુરુવારના રોજ પરસોતમ ચોક, કાલિકા પ્લોટમાં રાધા કૃષ્ણ મંદિર ખાતે આયુષ હોસ્પિટલના સહયોગથી ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં જરૂરિયાત મુજબના દર્દીઓને ઈ.સી.જી. તથા એક્સ-રે સહિત લેબોરેટરી અને નિદાન ફ્રીમાં કરવામાં આવશે તથા જરૂર જણાયે સુપર સ્પેશ્યલ ડોકટરને કન્સલ્ટિંગ માટે આયુષ હોસ્પિટલમાં ફ્રીમાં રિફર કરવામાં આવશે. તો મોરબીની જાહેર જનતાને કેમ્પનો લાભ લેવા રુચિર એ કારિયા -ઇન્ડીયન લાયન્સ કલબની યાદીમાં જણાવાયું છે.

- text

- text