ભારત વિકાસ પરિષદ દ્વારા દુર્ગા શક્તિ પુસ્તિકાનું વિતરણ અને શસ્ત્ર પૂજન કરાયું

- text


મોરબી : મોરબીમાં પાટીદાર ગઢ અવધ -4 તથા ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા નવરાત્રી મહોત્સવમાં દુર્ગા શક્તિની પુસ્તિકાનું વિતરણ અને શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું.

મહત્વનું છે કે, અવધ 4 સોસાયટીમાં પાટીદાર નવરાત્રી મહોત્સવનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ભારત વિકાસ પરિષદના સચિવ હિંમતભાઈ મારવાણીયા તથા વિપુલભાઈ અમૃતિયા તેમજ અવધ -4ના દાતા દિનેશભાઈ માકાસણા, રાજેશભાઈ ચારોલા, રાજેશભાઈ સદાતીયા વગેરે કાર્યકર્તાઓના સહયોગ અને સહકારથી દુર્ગા શક્તિની પુસ્તિકાઓનો સેટ અવધ 4 સોસાયટીના 245 ઘરોને અર્પણ કરવામાં આવી. તેમજ અવધ -4 સોસાયટીના તમામ પરિવારજનો દ્વારા શસ્ત્રનું પૂજન કરાયું. આ શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં 900 જેટલા પરિવારજનો જોડાયા હતા.

- text

- text