મચ્છુ-2 ડેમમાં પાણીની આવક થતા એક દરવાજો ખોલાયો

- text


મોરબી : ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે મચ્છુ-૨ ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે. જેને આજે રાત્રે ૯ વાગે ૧ દરવાજો ૨ ફૂટ ખોલી ૧૨૯૫ ક્યુસેક પાણી છોડવામાં આવેલ હતું. જ્યારે પાણીની થોડી આવક વધતા ૧૦ વાગ્યે ૨ દરવાજા ૨ ફૂટ કરી ૨૫૯૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

મોરબી તાલુકાના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-2 ડેમની ઉપરવાસમાં પાણીની આવક ચાલુ હોય, ડેમની સંગ્રશક્તિના 100 % ડેમ ભરાય ગયેલ છે. તેમજ ડેમની ઉપરવાસની પાણીની આવક ચાલુ છે. આથી ડેમના નીચવાસના ગામો જેવા કે, મોરબી તાલુકાના (૧)જોધપર, (૨)લીલાપર, (૩)ભડીયાદ. (૪)ટીંબડી, (૫)ધરમપુર, (૬)૨વાપર, (૭)અમરેલી, (૮)વનાળિયા. (૯)ગોર ખીજડીયા. (૧૦) માનસર, (૧૧)નવા સાદુળકા, (૧૨)જુના સાદુળકા, (૧૩) રવાપર, (૧૪)ગુંગણ (૧૫)નારણકા. (૧૬) બહાદુરગઢ, (૧૭)નવા નાગડાવાસ, (૧૮) જુના નાગડાવાસ, (૧૯) સોખડા, (૨૦)અમરનગર, માળીયા તાલુકાના (૧)વીરવદરકા, (૨)દેરાળા, (૩)નવાગામ, (૪)મેધપર, (૫)હરીપર, (૬)મહેન્દ્રગઢ, (૭) ફતેપર, (૮)સોનગઢ, (૯)માળિયા (મી)ને સાવચેત પણ કરવામાં આવ્યા છે.

- text

- text