મોરબીના યુવાનનું અપહરણ કર્યા બાદ ઘાતકી હત્યા

- text


જૂની અદાવતમાં સાતથી આઠ લોકોએ અંજામ આપ્યો, મૃતદેહ મોરબી સિવિલમા પીએમમાં ખસેડાયો

મોરબી : મોરબીમાં છેલ્લા નોરતે હત્યાનો હીંચકારો બનાવ બન્યો છે, શહેરના ઈન્દિરાનગર નગરમાં ખોડિયાર માતાજીના મંદિર પાસે રહેતા 23 વર્ષના યુવાનનું સાતથી આઠ શખ્સોએ અપહરણ કરી લઈ જઈ બાદમાં બેલા ગામ નજીક પથ્થર અને લાકડી વડે બેફામ મારતા ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું. મોડીરાત્રે 12.30 વાગ્યા બાદ મૃતદેહને મોરબી સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો અને પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ઈન્દિરાનગર નગરમાં ખોડિયાર માતાજીના મંદિર પાસે રહેતા રવિ પરસોત્તમભાઈ માનેવાડીયા ઉ.23 નામના યુવાનનું ત્રાજપર ખારા પાટ તરીકે ઓળખાતા વિસ્તારમાંથી સાતથી આઠ શખ્સો અપહરણ કરી લઈ ગયા હતા અને બાદમાં બેલા ગામ નજીક પુલ પાસે પથ્થર અને લાકડી વડે બેફામ મારતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવની જાણ મૃતકના ભાઈને થતા ઇજાગ્રસ્ત રવીને સારવાર માટે મોરબી સિવિલ લાવતા હતા ત્યારે રસ્તામાં જ રવીનું મૃત્યુ નીપજ્યું હતું. બાદમાં મોડીરાત્રે મૃતદેહને મોરબી સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ મોરબી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મૃતકના પરિવારજનોએ જૂની અદાવતને કારણે હત્યાનો બનાવ બન્યો હોવાનું જણાવ્યું હતું.

- text