મોરબીમાં રાજપૂત સમાજે ભવ્ય શોભાયાત્રા યોજી શસ્ત્રપૂજન કર્યું

- text


મોરબી : મોરબીમાં આજે દશેરા નિમિત્તે રાજપૂત સમાજે ભવ્ય શોભાયાત્રા યોજીને શનાળા ખાતે શસ્ત્રપૂજન કર્યું હતું. આ વેળાએ મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા.

શોભાયાત્રા શહેરના સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલથી શરૂ થઈ હતી. ત્યાંથી નટરાજ ફાટક, ગેસ્ટ હાઉસ રોડ સહિતના મુખ્ય માર્ગો પર થઈને શનાળા ખાતે પૂર્ણ થઈ હતી. બાદમાં ત્યાં શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું.

- text

- text