મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા બ્રહ્મસમાજ માટે શરદ પુનમે દાંડિયા રાસનું ભવ્ય આયોજન 

- text


દુધ પૌવાની પ્રસાદી તેમજ અલ્પાહારની પણ વ્યવસ્થા : બ્રહ્મસમાજના તમામ પરિવારોને પધારવા આયોજકો દ્વારા આમંત્રણ

મોરબી : મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શરદપૂનમની રઢીયાળી રાતે દાંડિયા રાસનું ભવ્યાતી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તા.17ને ગુરુવારના રોજ બ્રહ્મસમાજના પરિવારો માટે લીલાપર કેનાલ રોડ નજીક આવેલા કેશવ લોન પાર્ટી પ્લોટમાં કાર્યક્રમ યોજાશે.

મોરબીના તમામ બ્રહ્મસમાજના પરિવારોને પરશુરામ યુવા ગ્રુપ દ્વારા કેશવ લોન પાર્ટી પ્લોટ ખાતે આગામી તારીખ ૧૭ ઓક્ટોબર ગુરુવારના સાંજે ૦૯:૦૦ કલાકે હાજરી આપવા અને શરદ પૂનમની રાત્રીના ચંદ્રની ચાંદનીથી બનેલા દુધ પૌવાની પ્રસાદી તેમજ અલ્પાહાર લેવા માટે પધારવા માટેનું જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે

- text

ઉલ્લેખનીય છે કે દર વર્ષે પરશુરામ યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવતું શરદ પૂનમનું આ આયોજન બ્રહ્મસમાજના પરિવારોની સંખ્યાને ધ્યાનમાં રાખી અને વધુ સારો કાર્યક્રમ થાય તેવા ઉમદા હેતુથી લીલાપર કેનાલ રોડ પર આવેલ કેશવ બેંકવેટ હોલ પાસે આવેલ કેશવ લોન પાર્ટી પ્લોટ ખાતે સર્વાનુમતે આયોજન કરવામાં આવ્યું છે. જેથી મોટી સંખ્યામાં બ્રહ્મસમાજની બહેનો અને દીકરીઓને પરિવાર સાથે પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમ યાદીમાં જણાવાયું છે.

- text