મોરબીમાં આઇકોન રેસિડેન્સી ખાતે નવરાત્રી મહોત્સવમાં આઠમની મહાઆરતી યોજાઇ

- text


મોરબી : મોરબીમાં એસ.પી.રોડ પર આવેલી આઇકોન રેસિડેન્સી ખાતે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં લગભગ 250 જેટલા ફ્લેટ આવેલા છે. અને છેલ્લા 4 વર્ષથી નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે.

આ દરમ્યાન દરરોજ રાત્રે 9:15 કલાકથી રાત્રીના 12 કલાક સુધી માતાજીની આરતી કરી અને ગરબા ગાવામાં આવે છે. ત્યારબાદ આ નવ દિવસ દરમ્યાન નાસ્તાનું પણ આયોજન કરવામાં આવે છે. આઠમના દિવસે માતાજીની આરતીનો બોલ બોલવામાં આવે છે. જેનો બોલ વધારે જાય એ પરિવાર આરતી ઉતારે છે. આ દરમ્યાન પરિવારને વાજતે-ગાજતે તથા બગીમાં બેસાડીને રેસીડેન્સીના ગેટથી માતાજી પાસે આરતી ઉતારવા માટે લઇ જવામાં આવે છે.

- text

- text