- text
મોરબી : નવરાત્રીમાં આઠમના દિવસે લોકો માતાજીને નૈવેદ્ય ધરતા હોય છે ત્યારે મોરબીના સાદુળકાના સર્વોપરી શૈક્ષણિક સંકુલમાં મા સરસ્વતીને નૈવેદ્ય ધરવામાં આવ્યો હતો. વિદ્યાના ઉપાસક એવા વિદ્યાર્થીઓ સાથે શિક્ષક ગણ દ્વારા નવરાત્રિની અષ્ટમીના દિવસે મા સરસ્વતીને નૈવેદ્યની લાપસી અને પ્રસાદ કરી પુરા ભાવથી મહાઆરતી કરવામાં આવી હતી.
- text
- text