મોરબીમાં દશેરાએ 35 ટન સાટા, 30 ટન જલેબી ખવાઈ જશે

- text


આસુરી શક્તિ પર દેવી શક્તિના વિજય રૂપે વિજયાદશમીએ રાવણ દહન, શસ્ત્ર પૂજન સહિતના કાર્યક્રમોનું આયોજન

મોરબી : મોરબીમાં નવે નવ દિવસ માં જગદંબાની ભક્તિભાવથી આરાધના કર્યા બાદ આજે નવરાત્રી મહોત્સવની પૂર્ણાંહુતી થઈ છે. તમામ પ્રાચીન ગરબીઓ અને અર્વાચીન રાશોત્સવમાં નવરાત્રીની નવે નવ રઢિયાળી રાત્રે રાસ ગરબાની ધૂમ મચી હતી. નવ દિવસ રાસ ગરબે રમીને માતાજીની આરાધના કરતી બાળાઓને લ્હાણી વિતરણ કરવામાં આવી હતી.આસુરી શક્તિ પર દેવી શક્તિના વિજય રૂપે વિજયાદશનીએ રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું છે અને ઠેરઠેર શસ્ત્ર પૂજનનું પણ અયોજન કરવામાં આવ્યું છે.સાથે જ વિજય દશમી અવસરે મોરબીમાં લોકો 35 ટન સાટા અને 30 ટન જલેબી આરોગી જશે.

મોરબીમાં જગત જનની માં જંગદબાની ભક્તિ કરવાના સુવર્ણ અવસર સમાન નવરાત્રી મહોત્સવ શરૂ થયા બાદ દરેક જગ્યાએ પ્રાચીન ગરબી અને અર્વાચીન રાસોત્સવ અયોજનો થયા હતા. પ્રાચીન ગરબીમાં દરેક રઢિયાળી રાત્રિએ જંગદબા સ્વરૂપા બાળા ઢોલ, શરણાઈ, મંજીરા અને પેટી-દોકળ, નગારાની વર્ષો જૂની પરંપરા સાથે રાસ ગરબે રમીને માતાજીની આરાધના કરી હતી. સાથે જ વિજયાદશમીએ આજે ઠેર ઠેર રાવણનું દહન કરીને અસત્ય પર સત્યના વિજય રૂપે વિજયાદશમીની ધર્મોલ્લાસભેર ઉજવણી કરાશે. તેમજ ક્ષત્રિય સમાજ દ્વારા પરંપરાગત વેશભૂષા સાથે સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ ખાતેથી ભવ્ય શોભાયાત્રા કાઢી શનાળા ખાતે આવેલ શક્તિ માતાજીના મંદિરે શસ્ત્ર પૂજન કરાશે. તેમજ સમસ્ત બ્રહ્મ સમાજ- મોરબી તથા પરશુરામ યુવા ગ્રુપ- મોરબી દ્વારા સંયુક્ત ઉપક્રમે દશેરાના દિવસે સવારે 10-30 કલાકે મોરબીના નવલખી રોડ પર આવેલા ભગવાન શ્રી પરશુરામધામ ખાતે શસ્ત્ર-શાસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાશે

મોરબી વાસીઓ 30 ટન જલેબી, 35 ટન સાટા અને 10 ટન ફાફળાં આરોગી જશે

- text

અર્ધમ પર ધર્મના વિજય રૂપે ખુશી મનાવવા વિજય દશમીના અવસરે લોકો સાટા અને જલેબી, ચોરાફરી સહિતની મીઠાઈ અને ફરસાણની ખરીદી કરશે. આથી દરેક મીઠાઈની શોપ ઉપર આ મીઠાઈ ખરીદવા માટે ભીડ જામશે. એક અંદાજ મુજબ મોરબીમાં લોકો 35 ટન સાટા, 30 ટન જલેબી અને 10 ટન ચોરાફરી આરોગીને વિજયાદશમીની ઉજવણી કરશે. જેની ખરીદી માટે આજ સવારથીજ મીઠાઈની દુકાનોમાં લાઈનો લાગી હતી. જો કે આ વર્ષે માત્ર સાટામાં કિલોએ 20 નો વધારો થયો છે બાકી જલેબી 200 રૂપિયા અને ફાફળાંનો 260 રૂપિયા ભાવ યથાવત રહ્યો હતો

- text