વાંકાનેરમાં eKYCમાં શિક્ષકોની મુશ્કેલી મામલે શિક્ષક સંઘનું મામલતદારને આવેદન

- text


વાંકાનેર : બાળકોના eKYCમાં શિક્ષકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા અને શિક્ષકો પરથી eKYC કામગીરીનું ભારણ ઘટાડવા વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મામલતદારનર આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ યુવરાજસિંહ વાળા અને મહામંત્રી નજરુદ્દીનભાઈ માથકિયાના નેતૃત્વ હેઠળ સિનિયર કાર્યાધ્યક્ષ બાવરા અબ્દુલરહિમ, ઉપપ્રમુખ હિમાંશુભાઈ પટેલ ,મીડિયા પ્રચાર મંત્રી ધવલભાઈ મહેતા તેમજ સદસ્ય નરેન્દ્રભાઇ કાલરીયાની ઉપસ્થિતિ હેઠળ વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના સદસ્યોએ મામલતદાર યુ.વી. કાનાણીને રૂબરૂ મળીને વિદ્યાર્થીઓના eKYC ની કામગીરીમાં શિક્ષકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા અને શિક્ષકો પરથી eKYC ની કામગીરીનું ભારણ ઘટાડવા બાબતે યોગ્ય રજૂઆત કરવામાં આવી હતી અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમ યાદીમાં જણાવાયું છે.

- text

- text