મોરબીના એવન્યુ પાર્ક પાસેના નાલાની કામગીરી તુરંત ચાલુ કરાવવા આમ આદમી પાર્ટીની રજૂઆત

- text


જિલ્લા પ્રભારી પંકજ રાણસરીયાએ ચીફ ઓફિસરને કરી લેખિત રજૂઆત

મોરબી : રવાપર રોડ ઉપર એવન્યુ પાર્ક પાસે આવેલું નાલુ છેલ્લા ઘણા સમયથી તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યું છે. તેમ છતાં તે નાલાની કોઈજ રીપેરીંગ કે નવુ બનાવવાની કામગીરી તંત્ર દ્વારા છેલ્લા ઘણા સમયથી કરવામાં આવતી નથી. ત્યારે આ અંગે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરિયા દ્વારા મોરબી પાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, શહેરમાં એવન્યુ પાર્ક પાસે આવેલું નાલુ છેલ્લા ઘણા સમયથી તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યું છે. તેમ છતાં તે નાલાની કોઈ જ રીપેરીંગ કે નવું બનાવવાની કામગીરી તંત્ર દ્વારા છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી નથી. જયારે રવાપર રોડ નવો બનતો હતો ત્યારે આ નાલાની કામગીરી સાથે સાથે કરવાની જરૂર હતી. તેમ છતાં એન્જિનિયર કે તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવી નથી. આ રોડ બંધ કરવાથી રવાપર રોડ ઉપર રહેતા લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. છતા પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. આ નાલાની કામગીરી તાત્કાલીક ચાલુ કરવામાં આવે એવી માગણી છે અને જો તંત્ર ધ્યાન નહીં આપે તો આવનારા સમયમાં ટીમ તેમજ લોકોને સાથે રાખી નાલુ ખુલ્લું કરવામાં આવશે અને તેની તમામ જવાબદારી મોરબી નગરપાલિકાની રહેશે.

- text

- text