મોરબીના મહારાજા લખધીરસિંહજી સ્થાપિત શ્રી શંકર આશ્રમ ટ્રસ્ટ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ યોજાશે

- text


3 નવેમ્બરથી 9 નવેમ્બર સુધી પંચમુખી હનુમાનજી મંદિરે કથાનું આયોજન

મોરબી : મોરબીના મહારાજા સાહેબ લખધીરસિંહજી દ્વારા નિર્મિત એવમ્ સ્થાપિત શ્રી શંકર આશ્રમ ટ્રસ્ટ- મોરબી દ્વારા મોરબીના આંગણે 108 પોથીજી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવનાર છે.

આગામી તારીખ 3 નવેમ્બર એટલે કે ભાઈબીજ થી 9 નવેમ્બર સુધી મોરબીના ઉમા ટાઉનશિપ સામે આવેલા પંચમુખી હનુમાનજી મંદિરે આ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ બપોરે 3 થી 7 વાગ્યા સુધી કથાના વક્તા શાસ્ત્રીજી નિખીલભાઈ જોષી વ્યાસપીઠ પર બિરાજી કથાનું રસપાન કરાવશે. કથામાં મુખ્ય યજમાન તથા પોથીજી નોંધાવવા માટે પ્રહલાદસિંહ ઝાલા- 9825222617, ઘનશ્યામસિંહ ઝાલા- 8238996548, જયદીપભાઈ બારા- 9824349000, નરેન્દ્રભાઈ પોપટ- 9825324527, શિરીષભાઈ મહેતા- 9898395956, મીનાબા બાલુભા જાડેજા- 6352300984, જયશ્રીબા મહેન્દ્રસિંહ જાડેજા- 9978999200, કિરણબેન ઠાકર- 9879945129, નિતાબેન રાઠોડ- 9023043535, મીનાબેન કનુભાઈ હુંબલ- 9978922944 પર સંપર્ક કરવા જણાવાયું છે. એક પોથીજીની ન્યોછાવર માત્ર 5001 રૂપિયા રાખવામાં આવી છે.

- text

- text