પાલિકાની બેદરકારીઃ મોરબીના અયોધ્યાપુરી મેઈન રોડ પર ગટરની કુંડીનો કચરો રસ્તા પર જેમનો તેમ

- text


મોરબી : મોરબી નગરપાલિકાની વધુ એક બેદરકારી સામે આવી છે. મોરબી શહેરના અયોધ્યાપુરી મેઈન રોડ પર રસ્તા પર આવેલી ગટરની કુંડીઓની સફાઈ કરીને કુંડીમાંથી નીકળેલો કચરો કુંડીની પાસે જાહેર રસ્તા પર જ મૂકી દેવાતા ગંદકીમાં વધારો થયો છે.

મોરબી નગરપાલિકા દ્વારા અયોધ્યાપુરી મેઈન રોડ પર ભુગર્ભ ગટરની કુંડીઓ સાફ કરવામાં આવી હતી. જો કે, કુંડીઓની સફાઈ બાદ કુંડીમાંથી નીકળતો કચરો ભરીને જે-તે જગ્યાએ યોગ્ય નિકાલ કરવાનો હોય છે પરંતુ પાલિકાના સફાઈ કર્મચારીઓએ કુંડીમાંથી નીકળેલો કચરો કુંડી પાસે જાહેર રસ્તા પર જ મૂકી દેતાં ગંદકીમાં વધારો થયો છે. આ કચરા પરથી વાહનો પસાર થતાં કચરો રોડ પર ફેલાઈ રહ્યો છે.

- text

- text